- text
મોરબીના લીલાપર ગામમાં રહેતા ઉદ્યોગપતિ વિજયભાઈ ધનજીભાઈ દેત્રોજાએ પોતાના પુત્ર મન અને પુત્રી ક્રિશાના જન્મ દિવસ નિમિતે તેની ઉજવણી કંઈક અલગ પ્રકારે કરવાનું વિચાર્યું. જેમાં પોતે જે પ્રાથમિક શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યાંના બાળકોને જન્મદિવસ નિમિત્તે પ્રોત્સાહિત કરવા માટે વિજયભાઈએ 1 થી 5 ના બાળકો શૈક્ષણિક કીટ અને ધોરણ 6 થી 8 ના બાળકોને પેડ આપીને પોતાના બંને બાળકોનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દિવસે વિજયભાઈએ પોતાનો કિંમતી સમય શાળાના બાળકો માટે ફાળવી દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જે બદલ લીલાપર પ્રાથમિક શાળાના તમામ સભ્યોએ તેમને આભાર વ્યકત કર્યો હતો.
- text