મોરબીના સતાણી, તાવીયાડ, હડિયલ અને થડોદા ને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું

- text


અંતે રાજ્યના 227 નાયબ મામલતદારો મામલતદાર બન્યા

મોરબી : લાંબા સમયથી રાહ જોતા રાજ્યના નાયબ મામલતદારને અંતે સરકારે મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડી સાંજે મામલતદારોની બદલી કરવા હુકમ કરી 227 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપવા હુકમ કર્યો છે જે અંન્વયે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સતાણીભાઈ, તાવીયાડભાઈ,હડિયલભાઈ અને થડોદાભાઈને મામલતદાર તરીકે બઢતી મળી છે.
ઉલ્લેખનીય છે કે પ્રમોશન માટે સિનિયોરિટી અંગે લાંબા કાનૂની જંગ બાદ અવરોધો દૂર થતા બઢતી આપવામાં આવી છે.પરન્તુ મોટાભાગના પ્રમોશન મેળવનાર ના. મામલતદારો નિવૃત્તિના આરે ઉભા છે.

- text

- text