મોરબીમાં દીવાલ કૂદવા જતા બાળકનું મોત

- text


ઘુંટુ રોડ ઉપર સનવર્લ્ડ સિરામિક ફેક્ટરીના વંડામાં બનેલી ઘટના

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલી સનવર્લ્ડ સિરામિક ફેક્ટરીના વંડામાંથી દેવીપૂજક બાળકની લાશ મળી આવતા પોલીસે હાથ ધારે તપાસમાં દીવાલ કૂદવા જતા પટકાઈ જતા બાળક નું મોત થયાનું બહાર આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલી સનવર્લ્ડ સિરામિક ફેક્ટરીના વંડામાંથી સાગર અરવિંદભાઈ હળવદિયા ઉ.12 નામના બાળકની લાશ પડી હોવાનું માલુમ પડતા ઉમટાઉનશીપ નજીક ગંજીવડામાં રહેતા મહેશભાઈ વિરમભાઈ પુંઢિયાએ પોલીસમાં જાણ કરી હતી.
ઘટના મામલે બી ડિવિઝન ના ફિરોઝભાઈ પઠાણે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા સાગર સહિતના બાળકો સનવર્લ્ડ સિરામિકના વંડા નજીક રમતા હતા ત્યારે દિવાલ કુદવા જતા 10 ફુટ ઉંચી દીવાલ પરથી પટકાતા સાગર ને માથામાં ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જૉ સાગર સાથે રમી રહેલા બાળકો ઘણા સમય સુધી સાગર બાહર ન આવતા ચાલ્યા ગયા હતા અને બાદ માં શોધ ખોળ કરતા વંડામાંથી સાગરની લાશ મળી હતી ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text