મોરબી : ભાજપ સરકાર દ્વારા સરકારી ખર્ચે થઇ રહેલો સ્વપ્રચાર

- text


ભાજપ સરકારી અધિકારીઓને ગેર ઉપયોગ કરી પોતાનો પ્રચાર-પ્રસાર કરે છે : કે.ડી. બાવરવા

- text

કોંગ્રેસનાં કે.ડી. બાવરવાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આજ રોજ કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને સરકારી અધિકારી કલેકટર, ડીડીઓ વગેરે અધિકારી અને સરકારી તંત્રનો ભરપુર ઉપયોગ કરીને ભાજપ પોતાનો પ્રચાર કરી રહ્યા છે. તેમની સરકારી સિદ્ધિઓ લોકો સારી રીતે જાણે જ છે. તેઓની મોટા ભાગની સિદ્ધિઓ તો કોંગ્રેસની મનમોહનજીની સરકારી યોજનાઓનાં નામ બદલીને પોતાના નામે ચડાવી છે. જેને ભાજપ પોતાની સિદ્ધિઓમાં વર્ણવે છે. સરકાર ખરેખર પોતાના આપેલા વચનો પાડવામાં નિષ્ફળ ગયેલ છે. જેમ કે, દરેકના ખાતામાં પંદર-પંદર લાખ રૂપિય જમા કરાવવામાં આવશે, એકને બદલે દશ માથા લાવીશું, કલમ ૩૭૦ રદ કરાવીશું, રામ મંદિર બનાવીશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા તેમજ સસ્તું ખાતર બિયારણ આપવું, ડોલરના ભાવ વગેરે. આ ઉપરાંત ભાજપ સરકાર પેટ્રોલમાં તો લુંટ જ ચલાવે છે. શિક્ષણનું વેપારીકરણ કરેલ છે, આવું હોવા છતાં તેઓ ક્યાં મોઢે પોતાની સિદ્ધિઓ વર્ણવે છે તે જ નથી સમજાતું. હાલમાં ખેડૂતો પરેશાન છે, નાના વેપારીઓ પરેશાન છે, નાના ઉદ્યોગકારો પરેશાન છે, વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન છે. શું આ જ સિદ્ધિઓ છે ભાજપ સરકારની? આ તો લાજવાને બદલે ગાજે છે તેવું લોકો કહી રહ્યા છે. લોકો બધું જ જાણે છે સમજે છે અને સમય આવ્યે લોકો આ અંગે જવાબ જરૂર આપશે. તેવું કે.ડી. બાવરવાએ જણાવ્યું છે.⁠⁠⁠⁠

- text