મોરબી : હેર ટ્રાન્સપ્લાન્ટેશનનો વર્કશોપ યોજાશે

- text


મોરબી : કચ્છ તથા મોરબી જિલ્લાની ખ્યાતનામ સ્પર્શ ક્લિનિકમાં તા.૧૧ જુન રવિવારના રોજ હેર ટ્રાન્સપ્લાન્ટેશનનો સેમિનાર યોજાશે. જેમાં દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ તબક્કે ગુજરાતનાં દરેક મહાનગરોમાંથી ડોક્ટરો ભાગ લેશે. આ સર્જરી વિશ્વની અત્યાધુનિક દર્દરહિત તેમજ ટાંકા વગરની FUE નામની પધ્ધતિ દ્વારા કરવામાં આવશે. જેમાં દર્દીના પોતાના જ વાળ લઈને ટાલવાળા ભાગમાં દર્દીની જાગૃત અવસ્થામાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ પ્રકારનો લાઈવ વર્કશોપ કચ્છ તથા મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર યોજાશે એવું ડો. જયેશ સનારિયાની યાદીમાં જણાવ્યું છે. આ સર્જરીના માર્ગદર્શક તરીકે ઉદેપુરની જી.બી.એચ. અમેરિકન હોસ્પિટલના વડા ડો.પ્રશાંત અગ્રવાલ તથા રાજકોટના એડીવા ક્લિનિકના ડો.હર્ષિત રાણપરા હાજર રહેશે.

- text

- text