મોરબી : ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : વિજયનગર વિસ્તારમાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય અપાઇ હતી. તારીખ 23 એપ્રિલના રોજ શાળામાં ધોરણ 8 ના વિધાર્થીઓને શિક્ષણ કીટ આપી શિક્ષકગણ દ્વારા ઉન્નતિના આર્શીવચન સાથે વિદાય આપી હતી.

- text

કાર્યક્રમના અંતે વિધાર્થીઓને નાસ્તો અને આઇસ્ક્રીમ આપવામાં આવ્યા હતા. વિદાય સમયે વિધાર્થીઓ તેમજ શિક્ષિકાબહેનો ભાવુક બની ગયા હતા. આચર્ય ભરત બી. લોહિયએ શાળામાંથી વિદાય લઇ રહેલા ધોરણ 8 ના વહાલા બાળપુષ્પો જીવનમાં ઉર્ચ અભ્યાસ કરીને ખુબ આગળ વધે તેવી હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતી.

- text