રાજકોટ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે ભવાનીસિંહ દેથાની નિમણુક

- text


મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી ૧૦ રાજકોટ સંસદીય મતદાર વિભાગ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે ભવાની સિંહ દેથાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ થી સવારે ૧૦ થી ૧૧ દરમિયાન સર્કિટ હાઉસ, રાજકોટ ખાતે રાજકીય પ્રતિનિધિઓ તથા જાહેર જનતાને મળી શકશે. તેઓના સંપર્ક નંબર ૦૨૮૧-૨૯૯૦૧૭૮ છે જેની સંબંધિતોને નોંધ લેવા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે.

- text

- text