મોરબીનાં વજેપરમાં તા.9મીથી ભાગવત કથાનું આયોજન

- text


મોરબી : મોરબી શહેરના વજેપરમાં ડાભી પરિવાર દ્વારા આગામી તારીખ 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રામજી મંદિર વાળી શેરી, વજેપર શેરી નં.13 ખાતે સવારે 9 થી 12 અને બપોરે 3:30 થી 6 વાગ્યા સુધી ભાગવત કથાનું આયોજન કરાયું છે જેમાં વક્તા બાળ વિદુષી સંત રત્નેશ્વરીદેવી તથા ગુરૂ ભાવેશ્વરી માતાજી કથાનું રસપાન કરાવવામાં આવશે. ભાગવત કથાના શુભારંભે 9 એપ્રિલના મંગળવારે બપોરે 3 કલાકે પોથીયાત્રા યોજાશે.

- text