Halvad: નરનારાયણનગર પ્રા.શાળાનાં ચાર બાળકો જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ

- text


Morbi: હળવદ તાલુકાનાં નવા માલણીયાદ ગામની નરનારાયણનગર પ્રાથમિક શાળામાં ધોરણ -5માં અભ્યાસ કરતા બાવરવા ભવ્ય વિજયભાઈ અને પરમાર કિશન જયેશભાઇ અને ધોરણ-8 માં ભણતી વિદ્યાર્થિની પરમાર ઘ્વની કલ્પેશભાઈ અને પંચાસરા કિરણ નંદકિશોરભાઈ એમ કુલ 4 બાળકોએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છે.

આ પરીક્ષામાં વિદ્યાર્થીના માતા-પિતા સહિત શાળાના શિક્ષકગણના સંયુક્ત પ્રયાસના પરિણામ સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ પરીક્ષામાં પાસ થવા બદલ શાળા પરિવાર તરફથી પસંદ થયેલ તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

- text