Morbi: ત્રિલોકધામ મંદિર ખાતે આર્યુર્વેદિક ડેન્ટલ કેમ્પ યોજાશે

- text


 

Morbi: શહેરમાં સૌપ્રથમવાર આયુર્વેદિક ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 એપ્રિલ, રવિવારના રોજ સવારે 9 થી 1 સુધી નવલખી રોડ પર કુબેરનગરમાં આવેલા આવેલા ત્રિલોકધામ મંદિર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા શહેરની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પમાં નામ નોંધાવવા માટે ત્રિલોક ધામ મંદિરની મુલાકાત લઈ શકો છો.

આ કેમ્પમાં દાંતનું ચેકઅપ અને દાંતની દવા, જાલંધર બંધ યોગ પઘ્ધતીથી દાંત ફ્રીમાં કાઢી આપવામાં આવશે. આ કેમ્પમાં દવા ફ્રી માં આપવામાં આવશે. તેમજ દર્દીની બત્રીસી રાહત ભાવે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. જયસુખ મકવાણા, મોનીકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત સેવા આપશે.

- text

રાજકોટ રોટરી કલબ પ્રાઈમ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ તથા મોરબી ત્રિલોકધામ મંદિર સેવા સમીતી ટ્રસ્ટ તથા સમસ્ત બ્રહ્મસમાજના સૈજન્યથી આ કેમ્પ થઈ રહ્યો છે.વધુ માહિત માટે મોનીકા ભટ્ટ મો. (૯૪૦૯૭ ૭૩૬૭૪) વિનુભાઈ ભટ્ટ મો. (૯૮૭૯૭ ૭૪૫૧૭) એલ. એમ. કંઝારીયા સાહેબ (૯૪૨૬૨ ૨૬૧૭૫) પ્રસાંતભાઈ મહેતા (૯૭૨૭૭ ૧૬૧૭૭) સંપર્ક કરવા જણાવ્યું છે.

- text