- text
Morbi: જવાહર નવોદય વિદ્યાલય (JNV)ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં મોરબીના વાવડી રોડ પર આવેલી માધાપર શેરીમાં રહેતા અને Right to Education (RTE) હેઠળ મોરબીના રવાપર વિસ્તારની ક્રિષ્ના સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતાં કુશ ગૌરવભાઈ પરમારે પરીક્ષા પાસ કરી છે. આ પરીક્ષા પાસ કરીને કુશ પરમારે પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષામાં સફળતા મેળવવા બદલ અને આગામી અભ્યાસ માટે ચોતરફથી કુશ પરમારને શુભેચ્છાઓ મળી રહી છે.
- text
- text