રામનવમીની ભવ્ય ઉજવણીના આયોજન અંગે 20 માર્ચે હિન્દુ સંગઠનોની મિટીંગ યોજાશે

- text


મોરબી : રામનવમીના દિવસે મોરબીમાં ભવ્ય ઉજવણીના આયોજન નિમિત્તે આગામી તારીખ 20 માર્ચ ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે સર્વે સનાતની હિન્દુ સંગઠનની અગત્યની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

20 માર્ચ ને બુધવારે રાત્રે 9 કલાકે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે આ મિટીંગ યોજાશે. આ મિટીંગમાં સમગ્ર સનાતની હિન્દુ સમાજ સહભાગી થાય તેના અનુસંધાને તમામ પત્રકાર મિત્રો, દરેક સમાજના પ્રમુખો અને આગેવાનો, હિન્દુ ઘાર્મિક સંગઠનો, વેપારી એસોશિએશન, ધામિઁક સંચાલકો, (યુવક મંડળ), ગણેશ ઉત્સવ સમિતિ તથા આયોજકો, પ્રાચીન ગરબી મંડળના આયોજકો, મોરબી શહેર તથા નજીકના વિસ્તારોમાં આવતા મંદિરોના પુજારી તથા ટ્રસ્ટીઓ, ધુનમંડળના સભ્યો સાથે મોરબીમાં વસતા સમગ્ર સનાતની હિન્દુઓને આ મિટીંગમાં ઉપસ્થિત રહેવા વિનંતી સહ આમંત્રણ પાઠવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text