મોરબી જિલ્લામાં લોક અદાલતમાં 4195 કેસોનો નિકાલ, રૂ. 23.95 કરોડની વસુલાત

- text


મોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે અદાલતનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકવામાં આવેલા હતા.

- text

જેમાં લોક અદાલતના 2149 કેસો મુકાયા હતા. જેમાં 739 કેસોનો નિકાલ થયો છે. સાથે રૂ.23.10 કરોડની વસુલાત થઈ છે. જ્યારે સ્પેશિયલ સિટિંગના 3926 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 2104 કેસોનો નિકાલ થયો છે. પ્રિ લિટીગેશનના 6078 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી 1352 કેસોનો નિકાલ થયો છે. સાથે 85.03 લાખની વસુલાત થઈ છે. આમ 12153 કેસોમાંથી 4195 કેસોના નિકાલ સાથે રૂ. 23.95 કરોડની વસુલાત થઈ છે.

- text