મોરબી નવયુગ વિદ્યાલય ખાતે સાયન્સ ફેર યોજાયો

- text


મોરબી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે મોરબીના નવયુગ વિદ્યાલય ખાતે સાયન્સ ફેરનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ – 6 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી સૌરમંડળ દર્શન, પ્રાકૃતિક ઊર્જા , આંકડાજ્ઞાન, સેન્સર ટેકનોલોજીથી લોકોને વાકેફ કરાવ્યા હતા.

- text

મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે બાળક સ્વાનુભવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે એ હેતુથી ધોરણ – 6 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 110 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને તેનું ભવિષ્ય પ્રદર્શન યોજેલ હતું. આ તકે, નવયુગ ગ્રુપ ઓફ એજયુેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ વિજ્ઞાન મેળાને પ્રદર્શન માટે ખુલ્લો મૂક્યો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.સાયન્સ ફેરમાં ટેકનોલોજીગત, સૌરમંડળ દર્શન, પ્રાકૃતિક ઊર્જા , આંકડાજ્ઞાન, સેન્સર ટેકનોલોજી જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેનો લાભ વિધાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ બહોળી સંખ્યામાં લીધો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી મોતા તથા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઈ ભટ્ટે પણ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

- text