મોરબીમાં તા.29મીએ માતાજીનો નવરંગો માંડવો યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 29/2/2024ને ગુરુવારે રાત્રે 9:00 કલાકે લાયન્સનગર, સેન્ટમેરી સ્કૂલ પાછળ, નવલખી રોડ, મોરબી મુકામે ખોડીયાર માતાજી, મોમાઈ માતાજી, મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. જેમાં ભુવાજી દિનભાબાપુ (શ્રી કુબેરભાધામ રામપરા), વૈભવરાજસિંહજી પલાણીયા (બાપજીધામ સુંદરિયાણા-રજવાડું જયવીરવેગડજી દાદા) તથા મેલડી માતાજીના ભુવા ભાવેશભાઈ પોપટ માતાજીને પ્રસન્ન કરશે તેમજ રાવળદેવ હરેશભાઈ મેરૂભાઈ – ટંકારા તથા વિરમભાઇ મેરૂભાઈ – ટંકારા માતાજીના ગુણગાન ગાશે. આ ધર્મોત્સવમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા પોપટ પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

- text