વાંકાનેરના માટેલ ગામે પશુ એમ્બ્યુલન્સ 1962નું લોકાર્પણ

- text


વાંકાનેર : તાલુકાના માટેલ ગામે આજરોજ પશુ એમ્બ્યુલન્સ 1962નું સરપંચના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

- text

આ પશુ એમ્બ્યુલન્સ મુકાતા હવે ઓળ, ભીમગુડા, જામસર, લાકડધાર વગેરે આસપાસના ગામોને આ એમ્બ્યુલન્સનો લાભ મળશે. માટેલ ગામના ખોડીયાર માતાજી મંદિર ગૌશાળાએ આ એમ્બ્યુલન્સનું સરપંચ મુન્નાભાઈ દુધરેજીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પશુ એમ્બ્યુલન્સ મૂકવા બદલ માટેલ ખોડીયાર માતાજી મંદિર ગૌશાળા સહિત ગ્રામજનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

- text