મોરબીમાં બુધવારે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાશે

- text


મોરબી : સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા આગામી તારીખ 21/2/2024ને બુધવારે સવારે 9:00 થી બપોરે 12:30 દરમ્યાન ગૌશાળા પ્રાથમિક શાળા, લીલાપર રોડ, મોરબી ખાતે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વૈદ ખ્યાતિબેન ઠકરાર સેવા આપશે.

- text

કેમ્પમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર, આયુર્વેદિક ઔષધીઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન તેમજ આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ કરવામાં આવશે. હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુખાવો, ખરજવું, ધાધર જેવા ચામડીના રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, અપચો, ગેસ, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ ઉપરાંત મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.

- text