વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સેવા ગૃપ દ્વારા 101 દીકરીઓના સમૂહલગ્ન યોજાશે

- text


સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છુક પરિવારો તા.10 ફેબ્રુઆરીથી ફોર્મ ભરી શકશે

વાંકાનેર : વાંકાનેરના સમસ્ત હિન્દુ સેવા ગૃપ દ્વારા આગામી તા. 12 મેને રવિવારના સાંજના 5 કલાકે સર્વ હિન્દુ જ્ઞાતિની દીકરીઓ માટે 3જા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવમાં 101 દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે. આ જાજરમાન સમુહ લગ્નોત્સવમાં દીકરીઓને 101 થી વધારે વસ્તુઓ કરિયાવરમાં આવશે.

- text

ત્રીજા સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવમાં જે દીકરીઓના પરિવારો જોડાવા માંગતા હોય તો તા.10 ફેબ્રુઆરી થી 31 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. તેમજ આ અંગેની વઘુ માહિતી માટે તેમજ ફોર્મ ભરવા માટે બપોરના 2 થી સાંજના 7 વાગ્યા સુધી મહાકાળી સપ્લાયર, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે જયેશભાઈ સોમાણી – 9173009968, જગદીશભાઈ બાંભણીયા- 9106518189, ચિરાગભાઈ સેતા- 9737244231, દેવેનભાઈ- 9033655510 નો સંપર્ક કરવાનો રહેશે. તેમજ મોરબી ખાતે ચામુંડા પાન, ૐ રેસીડેન્સી બાજુમાં, લીલાપર રોડ, મોરબીનો પણ સંપર્ક કરી શકાશે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text