મોરબીની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર ઢગાને 12 વર્ષની કેદ

- text


વર્ષ 2014મા સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું

મોરબી : મોરબી શહેરમાં રહેતી સગીરાને વર્ષ 2014મા ભગાડી જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારનાર જામનગર જિલ્લાના જનજોધપુર તાલુકાના જામનવાડીના ઢગાને નામદાર મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે 12 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

- text

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2014મા મોરબી શહેરમાં રહેતી સાડા સતર વર્ષની સગીરાને જામનગર જિલ્લાના જનજોધપુર તાલુકાના જામનવાડી ગામનો રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડા ઉ.44 નામનો શખ્સ લગ્નના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને પોલીસના હાથે ઝડપાયા બાદ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજર્યાનું ખુલ્યું હતું. આ અંગેનો કેસ નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા અદાલતે 13 મૌખિક અને 34 દસ્તાવેજી પુરાવાઓ ઉપરાંત મદદનીશ સરકારી વકીલ સંજય સી.દવે અને નીરજ ડી.કારીયાની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડાને 12 વર્ષની કેદ અને 22 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. સાથે જ ભોગ બનનારને 2,62,500 વળતર ઉપરાંત આરોપી દંડની રકમ ભરે તે રકમ મળી કુલ 2,84,500 વળતર અપીલ પિરિયડ બાદ ચૂકવવા હુકમ કર્યો હતો.

- text