ટંકારાના નસીતપર ગામના આધેડ પરિણીતાએ ઝેરી ટિકડા ખાઈ લેતા મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા હીરાબેન કરમશીભાઈ અંદરપા ઉ.57 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈ લેતા ઝેરી અસર થતા મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text