મોરબીના 5 સહિત રાજ્યના 551 બિનહથિયારધારી પીએસઆઇની બદલી

- text


મોરબી જિલ્લાના નવા 10 પીએસઆઇ મુકાયા

મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવી રહી છે જે અંતર્ગત હથિયારધારી અને બિનહથિયારધારી પીએસઆઇની બદલીનો ઘાણવો કઢાયો છે જેમાં મોરબીના 5 પીએસઆઇની બદલી કરવામાં આવી છે સામે અન્ય જિલ્લામાંથી 10 પીએસઆઈ મોરબી જિલ્લાના મુકાયા છે.

ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લાના ફરજ બજાવતા પીએસઆઇ સોનારા મયુરભાઈ પ્રતાપભાઈની અમદાવાદ શહેર, જેઠવા વિક્રમભાઈ ગાંગાભાઈની રાજકોટ ગ્રામ્ય, ચુડાસમા નરેન્દ્રસિંહ હનુભાને સુરેન્દ્રનગર, ચાવડા મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈને અરવલ્લી, ચૌહાણ કિરણસિંહ જોરસંગભાઈને અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.

- text

જ્યારે ભાવનગર ફરજ બજાવતા વ્યાસ યજ્ઞેશભાઈ પ્રવિણચંદ્ર, જાડેજા હરેન્દ્રસિંહ રઘુવીરસિંહ, ગીર સોમનાથ જિલ્લાના જાડેજા રામદેવસિંહ પ્રવિણસિંહ, જામનગર ફરજ બજાવતા સામાણી સોનલબેન વલ્લભદાસને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા કોટવાલ સરલાબેન જીવાજી, મેકવાન સંદીપકુમાર મોજશીભાઈ, ભટ્ટ ભાવેશભાઈ દીનેશભાઈ, જાડેજા દાદુભાઈ કારીમભાઈ અને પરમાર વિજયભાઈ નરોતમભાઈને અમદાવાદ શહેરમાંથી મોરબી ખાતે તેમજ રાજકોટ શહેરમાં ફરજ બજાવતા સોમૈયા હરિશકુમાર વિઠ્ઠલદાસને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.

- text