- text
ગ્રામજનો દ્વારા કમરતોડ રસ્તો રીપેર કરવા માંગ
વાંકાનેર : વાંકાનેર તાલુકા પ્રત્યે જિલ્લાના તંત્રવાહકોને અણગમો હોય તેવી સ્થિતિમાં વાંકાનેર તાલુકાના પલાસ સહિતના ગામડાઓના રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં હોવા છતાં નવા રોડ બનાવવા તો ઠીક માર્ગોનું યોગ્ય રીપેરીંગ પણ થતું ન હોય લોકોમાં રોષ વ્યાપ્યો છે.
- text
વાંકાનેર હાઇવેથી પલાસ ગામને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બન્યો છે, ગ્રામજનોની અવાર નવાર રજુઆત છતાં વહીવટીતંત્ર આ બિસ્માર માર્ગને નવો બનાવવાનો બદલે કાંકરી કપચી નાખી લોકોના જીવન ઉપર જોખમ સર્જી રહ્યા હોય તાકીદે વાંકાનેર હાઇવેથી પલાસ ચોકડી અને ગામ સુધી રસ્તો બનાવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
- text