મોરબીના બગથળા ગામે આંગણવાડીના બાળક માટે અયોધ્યા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લા બીરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર દેશવાસીઓમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક લોકો વિવિધ રીતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લાના બગથળા ગામના આંગણવાડીના બાળકો દ્વારા અયોધ્યા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી કોડ નંબર 98 અને 101ના બાળકોએ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી અનોખી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં સુપરવાઇઝર પાયલબેન ડાંગર, રામાનુજ બીનાબેન, સોલંકી પ્રભાબેન, પરમાર સુનિતાબેન, ચાવડા નયનાબેન સહીત આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહી ખુબ જ ઉત્સાહથી અયોધ્યા મહોત્સવની ઉજવણી કરી હતી.

- text

- text