નકલી ટોલનાકા પ્રકરણમાં પકડાયેલ ત્રણેય આરોપી 20મી સુધી રિમાન્ડ ઉપર

- text


વાંકાનેર : નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ પકડથી દૂર ત્રણ આરોપીઓને ગત મોડીરાત્રે વાંકાનેર પોલીસે વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. આજે આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 20મી સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બામણબોર કચ્છ નેશનલ હાઇવે ઉપર વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોકનાકાની બાજુમાં બંધ પડેલી ફેક્ટરીમાંથી ટોલનાકાની જેમ જ વાહનો પસાર કરાવાના પ્રકરણમાં વાંકાનેર પોલીસે જાતે ફરિયાદી બની સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અમરસીભાઈ જેરામભાઈ વાસજાળીયા સહિત છ આરોપીઓ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધ્યા બાદ લાંબા સમયની અંતે બે આરોપીઓ પકડાયા હતા. બીજી તરફ આ ચર્ચિત પ્રકરણમાં ગતરાત્રીના વાંકાનેર પોલીસે ભાજપ અગ્રણી એવા આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાને વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા.

- text

ત્રણેય આરોપીઓને પોલોસે ઝડપી લીધા બાદ આજે રિમાન્ડની માંગ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 20મી સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

- text