અદેપરના સરપંચ-ગ્રામજનોએ ઘાયલ કુંજ પક્ષીનો જીવ બચાવ્યો 

- text


મોરબી : મોરબીના મચ્છુ ડેમની નજીક વસેલા અદેપર ગામ નજીક કુંજ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં હોવાનું ગામના જાગૃત યુવાન વનરાજસિંહ તથા મયુરસિંહના ધ્યાનમાં આવતા તેઓએ તુરત જ અદેપર ગામના સરપંચ જનકસિંહ ને જાણ કરતા સરપંચે તાત્કાલિક કર્તવ્ય જીવદયા કેન્દ્રનો સંપર્ક કરી કુંજ પક્ષીનો જીવ બચાવવામાં મદદરૂપ થયા હતા.ઉલ્લેખનીય છે કે, અદેપર ગામ મચ્છુ ડેમની બાજુમાં વસેલું હોય ગામની આજુબાજુમાં કુંજ પક્ષી મોટી સંખ્યામાં વિહરતા જોવા મળતા હોય છે આ પહેલા પણ કુંજ પક્ષીનો જીવ બચાવવામાં સરપંચ જનકસિંહે માનવતાવાદી કાર્ય કર્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું.

- text