- text
મોરબીના શોભેશ્વર રોડ ઉપર બનેલી ઘટના
મોરબી : ક્ષણિક આવેગમા આવી જઈ માણસ ક્યારેક અજુગતું પગલું ભરી પરિવારને મુશ્કેલીમાં મૂકી દેતો હોય છે આવી જ એક ઘટનામાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર પત્ની સાથે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ગયેલા પતિએ ઝાડમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર ગામના વતની હમીરભાઈ બાજુભાઈ લુવારીયા ઉ.35 નામના યુવાને પત્ની સાથે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી જઈ શોભેશ્વર મહાદેવ નજીક આવેલ વિડીમાં જઈ વૃક્ષ સાથે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લઈ જિંદગી ટૂંકાવી નાખી હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text