મોરબીના તુલસી ટ્વિન્ટ્સ બિલ્ડિંગમાં પ્રભુશ્રી રામનું વિશાળ બેનર લગાવાયું

- text


મોરબી : અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરનો આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. પ્રભુશ્રી રામને આવકારવા ભક્તો થનગની રહ્યા છે. ત્યારે મોરબીની તુલસી ટ્વિન્ટ્સ બિલ્ડીંગના બી ફ્લેટમાં વિશાળ પ્રભુશ્રી રામનું બેનર લગાવાયું છે.

મોરબીના તુલસી ટ્વિન્ટ્સ બી ફ્લેટના રહીશોએ ફ્લેટમાં વિશાળ બેનર લગાવ્યું છે. જેમાં ભગવાનશ્રી રામ અને મંદિરનો ફોટો મૂકવામાં આવ્યો છે. સાથે જ ધર્મવિજય રેસિડેન્સી ખાતે 22 જાન્યુઆરીએ અવધ ચોકડીથી ધર્મ વિજય સોસાયટી સુધી શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે. તો આ અવસરમાં ઉપસ્થિત રહેવા ધર્મવિજય રેસિડેન્સી તરફથી સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text