- text
મોરબી : મોરબીની GMERC મેડિકલ કોલેજમાં આજ રોજ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું.
- text
22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે હાલ મોરબીમાં વિવિધ સ્થળે અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ મોરબીની GMERC મેડિકલ કોલેજમાં અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની ટીમે કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી માહિતગાર કર્યા હતા. કોલેજની વિદ્યાર્થિનીઓએ ટીમના સભ્યોને વિજય તિલક કરીને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં ડો.વિજય ગઢીયા, ડો દિપક અઘારા, ડો ઉત્સવ દવે, ડિન ડો. કુમાર વિશ્વાસ, એડી. ડિન ડો. સંજય, ડો. હિરેન સંઘાણી, રાજુભાઈ બદરકિયા, જયદીપભાઈ દેત્રોજા, ચંદુભાઈ વૈશ્લાણી વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા.
- text