હળવદના ટીકર ગામે હનુમંત કથા તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


હળવદ : હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે આગામી તારીખ 17 થી 19 જાન્યુઆરી હનુમંત કથા અને 20 થી 22 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

હળવદના ટીકર (રણ) ગામે હનુમાન દાદાના નવનિર્મિત શિખર બંધ મંદિરમાં સપ્તમૂર્તિ રૂપે હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ નિમિત્તે 17 થી 19 જાન્યુઆરી સુધી એરવાડિયા પરિવારની વાડીમાં ત્રિદિવસીય હનુમંત કથા યોજાશે. જેમાં દરરોજ બપોરે 1-30 થી સાંજે 5 વાગ્યા સુધી કથાના વક્તા ભરતરામજી બાપુ (હામપુરવાળા) વ્યાસપીઠ પર બિરાજી કથાનું મધુર વાણી અને સંગીતની સૂરાવલી સાથે કથાનું રસપાન કરાવશે. ત્યારબાદ 20 થી 22 જાન્યુઆરી સુધી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય પદે રાજુભાઈ શાસ્ત્રી (હળવદવાળા) રહેશે.

- text