મોરબીના શિવપુર ગામે અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે

- text


મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના શિવપુર ગામ પણ આ વિશિષ્ટ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

મોરબીના શિવપુર ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સમુહ ગામ પ્રસાદ (ભોજન), અક્ષત કળશ પુજા, ધુન-ભજન, રાસ-ગરબા, ઘરે-ઘરે રંગોળી તથા દીપ પ્રાગટ્ય, શ્રીરામ ભગવાનની શોભાયાત્રા જેવાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક દિવસને ઉત્સાહથી ઉજવવાની ભાવના સાથે સમસ્ત શિવપુરના ગ્રામજનોને સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text