મોરબીની રચના સોસાયટીમાં પુજિત અક્ષત કળશનું ધામધૂમથી સ્વાગત-પૂજન

- text


મોરબી : મોરબીની રચના સોસાયટીમાં પુજિત અક્ષત કળશનું ધામધૂમથી સ્વાગત – પૂજન કરવામાં આવ્યું હતું સાથે કળશ યાત્રા કાઢવામાં આવી હતી.

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને અયોધ્યાથી આવેલા પુજીત અક્ષતને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન મોરબી જીલ્લામાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબીના સામાંકાંઠે આવેલી રચના સોસાયટીમાં પુજીત અક્ષત કળશનું ધામધૂમથી સ્વાગત – પૂજન સાથે ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી. સોસાયટીના લોકોમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

- text