મોરબીના કાંતિપુર અને ચાંચપરમાં ગળેફાંસો ખાઈ લેતા બે વ્યક્તિના મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં કારખાનામાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કાંતિપુર ગામે અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાગ કરી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજન મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં શિવ પોલીટેક કારખાનાની ઓરડીમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની શિવકુમાર રામભવન વર્મા ઉ.29 નામના યુવાને અગમ્ય કારણોસર ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જ્યારે બીજા બનાવમાં મોરબીના કાંતિપુર ગામે રહેતા અમૃતભાઈ બાબુભાઇ પરમાર ઉ.45 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બન્ને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text