વાઘપર ગામે મોક્ષપૂરીના લાભાર્થે ઐતિહાસિક નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના વાઘપર ગામે હનુમાનજી મંદિર પ્લોટ વિસ્તારમાં તા. 14 નવેમ્બરને બેસતા વર્ષની રાત્રે 9 કલાકે મોક્ષપૂરીના લાભાર્થે ઐતિહાસિક નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વીર એભલવાળો યાને સાઈ નેસડી નામે ઐતિહાસિક નાટક ભજવવામાં આવશે જેની સાથે હાસ્યથી ભરપુર નામે કોમિક નાટક પણ રજૂ કરવામાં આવશે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને આ પુણ્યના કાર્યમાં સહભાગી થવા સહપરિવાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત વાઘપર ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text