માળીયાના સરવડ ગામે ઐતિહાસિક અને કોમિક નાટક ભજવાશે

- text


મોરબી : માળીયાના સરદારનગર (સરવડ) ગામના ગરબી ચોકમાં સરવડ યુવક મંડળ દ્વારા તા. 14 નવેમ્બરને મંગળવારે રાત્રે 9:30 કલાકે ઐતિહાસિક અને ધાર્મિક નાટક ભજવવામાં આવશે. જેમાં ઐતિહાસિક નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સાથે પેટ પકડીને હસાવતું કોમિક નાટક નાથાબાપાનો ઘરસંસાર પણ ભજવવામાં આવશે. સરવડ ગામની ભૂમિ પર બેસતા વર્ષના પર્વ પર આઈ શ્રી નાગબાઈ માં ગૌ- શાળાના લાભાર્થે યોજાશે. તો પુણ્યના કામમાં સહભાગી થઈ સમસ્ત ગામની જનતાને ઉપસ્થિત રહેવા સરદારનગર (સરવડ) ગામ યુવક મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text