- text
હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર અને મયુરનગર ગામ વચ્ચે ગઈકાલે બપોરે ઝટકા મશીનના કારણે એક ગૌ માતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ મામલે પોલીસને લેખિત અરજી પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા હિંમતભાઈ બેચરભાઈની ગાય ગઈકાલે ચરવા ગઈ હતી. જોકે સાંજ થવા છતાં પણ ઘરે પરત ન આવતા શોધખોળ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે રાયસંગપર અને મયુર નગર વચ્ચે આવેલ લાભુભાઈ શિરોયાના ખેતરમાં મુકેલ ઝટકા મશીનનો કરંટ લાગતા ગૌમાતાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
- text
તો બીજી તરફ લોકોમાં એ પણ ચર્ચાઇ રહ્યું છે કે ગૌમાતાનું મૃત્યુ ઝટકા મશીનમાં ડાયરેક્ટ પાવર આપી દીધો હોવાના કારણે થયું છે.જેથી હિંમતભાઈએ આ બનાવની યોગ્ય તપાસ કરવા માટે અને ગૌમાતાના મોત પાછળ જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે.
- text