વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે મોરબીના રામધન આશ્રમ ખાતે મહાયજ્ઞ યોજાયો 

- text


મોરબી : આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હોય મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

રામધન આશ્રમ ખાતે આયોજિત આ મહાયજ્ઞમાં વડાપ્રધાનનો 73મો જન્મદિવસ હોય 7300 આહૂતિ આપવામાં આવી હતી અને 73 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી મા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, હીરાભાઈ ટમારીયા, જયંતીભાઈ કવાડિયા, જયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સિંધવ, ગીરીશભાઈ ઘેલાણી, કે. એસ. અમૃતિયા, હસુભાઈ પંડ્યા, મહિલા પાંખના બહેનો અને ભાઈઓએ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

- text

- text