મોરબી અપડેટના નવા શો “પોડકાસ્ટ”માં 18 તારીખે સાંભળો અગ્રણી ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરિયાને..

- text


“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ-3માં અગ્રણી ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરિયા સાથે વિસ્તૃત ચર્ચા : 18 તારીખે બપોરે 1 વાગ્યે રિલીઝ થશે એપિસોડ

મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

- text

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના પહેલા બંને એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે ત્રીજો એપિસોડ આવતી કાલે તારીખ 18 સપ્ટેમ્બરને બપોરે ૦૧:૦૦ વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના ત્રીજા એપિસોડમાં જાણીતા અને અનુભવી ઉદ્યોગપતિ કે જેમને આ ફિલ્ડનો ઘણા વર્ષોનો અનુભવ છે સાથે સાથે તેઓ ભારત સરકાર બોર્ડ ઓફ ટ્રેડના મેમ્બર અને કેપેક્સિલના વાઈસ ચેરમેન છે એવા નિલેશભાઈ જેતપરિયા સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં મોરબીની સિરામિક ઈન્ડસ્ટ્રી વિશે, બિઝનેસ વિશે, કઈ રીતે નવો બિઝનેસ શરૂ કરી શકાય, કેવી રીતે ઇન્ટરનેશનલી બિઝનેસ ડીલ થતી હોય છે, મોરબીને લગતા પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તો મોરબીના અપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.

- text