મોરબીના રોયલ પાર્કમાં બરફ અને માટીના શિવલિંગના દર્શન

- text


મોરબી : આજરોજ અમાસ હોય શ્રાવણ માસના અંતિમ દિવસે ભગવાન ભોળાનાથને પૂજન-અર્ચન-દર્શન કરીને ભક્તો રીઝવી રહ્યા છે. ત્યારે મોરબીના નવલખી રોડના કુબેરનગરના રોયલ પાર્કમાં રહેતા કિરણબેન મારુએ બરફ અને માટીમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું છે.

રોયલ પાર્કમાં રહેતા કિરણબેન હિતેન્દ્રભાઈ મારુ છેલ્લા સાત વર્ષથી શ્રાવણ માસની અમાસની ભાવસભર ઉજવણી કરે છે. ત્યારે તેમણે આ વર્ષે પોતાના ઘરે બરફ અને માટીનો ઉપયોગ કરીને શિવલિંગનું નિર્માણ કર્યું છે. આ શિવલિંગનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. આજરોજ મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહીને આરતી પણ કરી હતી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લીધા હતા.

- text

- text