મોરબીના ઉમિયા આશ્રમ ખાતે 15મીએ સુંદરકાંડ અને આનંદના ગરબાનું આયોજન

- text


મોરબી : આગામી તારીખ 15 સપ્ટેમ્બરના રોજ મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલી ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે સુંદર કાંડ આનંદના ગરબાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સામૂહિક હરિભક્તોના ભંડારાનું પણ આયોજન કરાયું છે.

- text

ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળાના મહંત નિરંજનદાસજી મહારાજે જણાવ્યું છે કે, તારીખ 15 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ સવારે 8 કલાકે શિવ પૂજન થશે. ત્યારબાદ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી સુંદર કાંડ આનંદના ગરબાના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12-15 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સુંદરકાંડના પાઠમાં મારૂતિ સુંદર કાંડ મહિલા મંડળ- મોરબી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના મુખ્ય યજમાન નાગેશ્વર મહાદેવ છે. જ્યારે વ્યવસ્થાપક સજુભાઈ દોલુભા જાડેજા છે.

- text