ટંકારાના નેસડા (ખા.) ગામે 7મીએ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

- text


ટંકારા : તાલુકાના નેસડા (ખા.) ગામે આગામી તારીખ 7 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નેસડા (ખા.) ગામ સમસ્ત તથા રાસ મંડળ ગ્રુપ દ્વારા 7મી સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા તથા મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. બપોરે 2 કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રામજી મંદિર ચોક ખાતે મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાશે. તો આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનોને ઉમટી પડવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text