- text
મોરબી : મોરબીના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયોના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયો જેવા કે, કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય તેમજ વી. એસ. શાહ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વર્ષ 2020-2022 અને વર્ષ 2023ના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓને તેમજ વિષયમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વર્ગસ્થ લલીતભાઈ મહેતાના પુત્ર કલ્પેન્દુભાઈ મહેતા, રાજકોટ વિભાગના મંત્રી અને પૂર્વ પ્રધાન આચાર્ય જેન્તીભાઈ પડસુંબિયા, વિદ્યાભારતીના શિક્ષણ માટે હંમેશા ચિતિંત એવા વેદ સાહેબ, અખિલ ભારતીય કક્ષાના સંઘના સદસ્ય રામભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પૂર્વ છાત્રો, વાલીઓ તેમજ નિમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના ઇન્ચાર્જ પ્રધાનઆચાર્ય નિલેશભાઈ ધોકિયા અને એલ. કે. સધંવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાલય સન્માન માટે ખુશાલભાઈ સંઘવી, જયશંકર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, ડી.સી જોશી, ગોલોકવાસી પ્રભાબેન લાલદાસ કરથીયા, અંકુરભાઈ મહેતા, ડઈબેન ચૌધરી, સચિનભાઈ કામદાર, ભુપતભાઈ છૈયા, સોનલબેન ઠુમર તેમજ નિલેશભાઈ ધોકિયાનું સૌજન્ય પ્રાપ્ત થયું હતું. આ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ ભટ્ટ અને ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય વિદ્યાલયના આચાર્યોએ જહેમત ઉઠાવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને લગભગ 154 જેટલા શિલ્ડ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિનુભાઈ રૂપારેલિયા દ્વારા ઉત્સાહ પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું.
- text
- text