અગરિયાઓને મીઠું પકવવાનો કાયમી હક આપો : મહાસભામાં બુલંદ માંગણી 

- text


ઘુડખર અભ્યારણ્ય યો હમણાં થયું, અગરિયાઓ તો પેઢીઓથી છે : અગરિયાઓ અને ઘુડખર મિત્ર છે, 1973 માં ઘુડખરની સંખ્યા 715 હતી જે આજે 7500 પાર પહોંચી

હળવદ : ધાંગધ્રા તાલુકાના કોપરણી ગામે અગરિયાઓની મહાસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં અગરિયાઓ હાજરી આપી સાથે આજુબાજુના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ સામાજિક આગેવાનો પણ જોડાયા હતાં.

જેમાં અગરિયાઓએ જણાવ્યું હતું કે સરકારના સર્વે અને સેટલમેન્ટના રિપોર્ટમાં 90 ટકા અગરિયાઓના નામ નથી. અગરીયા એક સાથે એક અવાજે એકજ વાત કરશે કે અમારા રણમાં મીઠું પકવવાના કાયમી હક આપો. અમે પરંપરાગત રીતે ઘણા વર્ષોથી આ રણમા મીઠું પકવતા આવ્યા અને અમારા બાપદાદાએ રણની રક્ષા કરી અમે મોટા કર્યા છે. તમારું ઘુડખર અભયારણ તો હમણાં જાહેર થયું. ઘુડખર અને અગરિયા એકબીજાના મિત્ર છે 1973 માં ઘુડખરની સંખ્યા 715 હતી. આજે 7500 પાર છે. ગીરના જંગલમાં માલધારી સમાજને પોતાનો હક મળ્યો, ડાંગ વિસ્તારમાં આદિવાસી સમાજને પોતાના હકો મળ્યા તો અગરિયા સાથે કેમ અન્યાય ? અગરિયાઓને પણ પોતાના કાયમી હકો આપો આ કચ્છના નાના રણમાં ૮૦ હજાર પરિવાર આ મીઠું પકવી એના ઉપર નિર્ભર છે. અગરિયાઓ પાસે જીવન નિર્વાહ માટે કોઈ બીજો વિકલ્પ નથી. તેમ અંતમાં જણાવ્યું હતું.

- text

- text