મોરબીના રવાપર રોડ પર આવેલી લોટસ સોસાયટીમાં શ્રીમદ ભાગવત કથા યોજાશે

- text


મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી લોટસ સોસાયટીમાં આગામી તારીખ 26 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન દ્વારકાધિશની કૃપાથી લોટસ સોસાયટીના મહિલા મંડળ દ્વારા તારીખ 26 જુલાઈ ને બુધવારથી તારીખ 1 ઓગસ્ટ ને મંગળવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરાયું છે. આ કથામાં દરરોજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી વક્તા રાજનદાદા (મોરબી) વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. આ કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. તો આ કથાનું રસપાન કરવા મોરબીની જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text