આગામી 23મીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મોરબી ખાતે મળશે

- text


મોરબી : આગામી તારીખ 23 જુલાઈ ને રવિવારના રોજ મોરબીના જલારામ મંદિર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાશે.

હાલમાં પટના બિહાર ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી રવિવાર તારીખ 23 જુલાઈના રોજ મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાશે. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગિરીશભાઈ ઘેલાણી સહિતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

- text

પ્રાંત બેઠક સવારે 9 થી સાંજે 5 કલાક સુધી યોજાશે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ વિભાગ, જિલ્લા તથા તાલુકાના સક્રિય પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ જે.જી.ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણે સંયુક્ત યાદીમાં જણાવ્યુ છે. પ્રાંત બેઠકને સફળ બનાવવા મોરબી જિલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, કૌશલભાઈ જાની સહિતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text