મોરબી જિલ્લાની તમામ અદાલતો તેમજ ફેમીલી કોર્ટમાં ૯ સપ્ટેમ્બરે લોક અદાલત 

- text


મોરબી : રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે મોરબી જીલ્લાની તમામ અદાલતો તેમજ મોરબી જીલ્લાની ફેમીલી કોર્ટ ખાતે આગામી તા.૯-૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.

રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, વળતરના કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ચેક રીર્ટનના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મજુર કાયદાને લગતો કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બીલ( ચોરી સિવાય) ના કેસો, ભાડાને લગતા કેસો, બેન્ક વસુલાત, સુખાધિકાર હકક, મનાઇ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસો મુકી શકાશે. વધુમાં જે સંબંધકર્તા પક્ષકારો પોતાના પેન્ડીંગ કેસો આ લોક અદાલતમાં મુકવા ઇચ્છુક હોય તો તેઓએ સબંધિત કોર્ટ અથવા સબંધિત તાલુકા કાનુની સેવા સમિતિને તા.૯/૯/૨૦૨૩ સુધીમાં કે તે પહેલા સંપર્ક કરવાનો રહેશે. કાનુની સેવા સત્તા મંડળના અધિનિયમના નિયમ-૨૧ હેઠળ લોક અદાલતમાં જે કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રિફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઇ સબંધક્રર્તા તમામ પક્ષકારોને પોતાના કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવા જણાવાયું છે.

- text

- text