- text
મોરબી : મોરબીના અણીયારી ગામના પુજાબેન પારસભાઈ ડઢાણીયાએ પોતાના જન્મદિવસે વૃક્ષ વાવીને પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો છે. પૂજાબેને પોતાના પતિ પારસભાઈ સાથે આજે 26મા જન્મદિવસ નિમિત્તે પીપળો અને વડના રોપા વાવીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. અને અન્ય લોકોને પણ જન્મદિવસે વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું.
- text
- text