વિજાણ અને કચ્છ ભૂમિના સપૂતને ભુજ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવતી મોરબી જિલ્લા કરણી સેના 

- text


મોરબી: વિજાણ અને કચ્છ ભૂમિના સપૂત સ્વ. સાવજસિંહજી વખતસિંહજી જાડેજાને મોરબી જિલ્લાની કરણી સેનાની ટીમ દ્વારા ભુજ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વિજાણ અને કચ્છ ભૂમિના સપૂત અને સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી સમાજની ચિંતા કરનાર તેમજ પોતાનું સંપૂર્ણ જીવન સમાજને સમર્પિત કરનાર તેવા મહાન વ્યક્તિત્વ કહી શકાય તેવા સ્વ. સાવજસિંહજી વખતસિંહજી જાડેજાને મોરબી જિલ્લાની કરણી સેનાની ટીમ દ્વારા ભુજ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહજી જાડેજા, વાંકાનેર તાલુકા પ્રભારી રાજેન્દ્રસિંહ ઝાલા, હળવદ તાલુકા પ્રમુખ વીરપાલસિંહ ઝાલા ઢવાણા, મોરબી તાલુકા પ્રમુખ જયદેવસિંહજી જાડેજા, મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા, ઝાલાવાડ પ્રાંતના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ લક્ષ્મણસિંહજી માલણીયાદ,પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી અજયસિંહજી ઝાલા, સરધારકા મોરબી શહેર પ્રવક્તા યુવરાજસિંહ ઝાલા, મોરબી જિલ્લા મહામંત્રી દીગપાલસિંહ રાણા, એકતા એ જ લક્ષ્ય સંગઠનના સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયાના પ્રમુખ ભગીરથસિંહ રાઠોડ, જયદીપસિંહજી જાડેજા, વનરાજસિંહ વાઘેલા, રવિરાજસિંહજી જાડેજા સહીત રાજપુત કરણી સેના હળવદ ટીમ, રાજપુત કરણી સેના વાંકાનેર ટીમ ઉપસ્થિત રહી હતી.

- text

- text