- text
મોરબીઃ મોરબીની વાંચન પ્રિય જનતા માટે આવતીકાલે તારીખ 4 જૂન ને રવિવારના રોજ મોરબીના સરદારબાગ ખાતે 55માં પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તારીખ 4 જૂન ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી 11-30 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગ ખાતે 55મા પુસ્તક પરબનું આયોજન કરાયું છે. મોરબીમાં આ 55મો પુસ્તક પરબ કાર્યક્રમ યોજાશે. જેમાં 3 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે ડો. અમૃત કાંજિયા લિખિત વ્યંગવિનોદ વિહાર પુસ્તકનો પરિચય પણ કરાવાશે.
- text
- text