નેકનામ રોડ ઉપર નડતરરૂપ વિજપોલ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઇ 

- text


માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવ જેટલા વિજપોલ હટાવી દેવાની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબી નજીક ટંકારાના નેકનામ રોડ ઉપર નાખેલા નડતરરૂપ વિજપોલ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવ જેટલા વિજપોલ હટાવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ટંકારાના નેકનામ રોડ ઉપર આવેલ પવનચક્કી પાસે આડેધડ રીતે વિજપોલ ખડકી દેવમાં આવ્યા હતા. આ વિજપોલ નડતરરૂપ હોવાથી વિજપોલ હટાવી દેવા માટે માર્ગ અને મકાન વિભાગ હરક્તમાં આવ્યું હતું અને નવ જેટલા વિજપોલ ઉતારી લેવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ત્રણ વિજપોલ ઉતારી નાખ્યા અને બાકીના વિજપોલ ઉતારી નાખવાની કામગીરી ચાલુ હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું.

- text