મોરબીમાં મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે સનાતન સ્વાભિમાન યાત્રા યોજાશે

- text


મોરબી: મોરબીમાં રાજપુત કરણી સેના દ્રારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ધામધુમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

સમગ્ર હિન્દુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યુ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે રાજપુત કરણી સેના દ્વારા તા. ૨૨ મે સોમવારે સાંજે ૪ કલાકે નહેરુ ગેટ ચોકમાંથી સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ હિન્દુ સંગઠનોને રાજપુત કરણી સેના દ્વારા આ રેલીમાં જોડાઈને એકલિંગજીના જાયાને શ્રધ્ધાંજલિ સર્મિપત કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text